આણંદ: વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત,મૃતકોના પરિવારને મળશે આર્થિક સહાય

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં પથ્થરો નીચે દબાય જવાથી ત્રણ શ્રમિકો કરુણ મોતને ભેટ્યા હતા,જયારે એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

New Update
  • વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સર્જાઈ હતી દુર્ઘટના

  • પથ્થર બેસાડવાની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત

  • પથ્થરોની નીચે શ્રમિકો દબાયા હતા 

  • 3 શ્રમિકોએ ગુમાવ્યા જીવ

  • NHSRCL દ્વારા આર્થિક સહાયની કરાઈ જાહેરાત   

આણંદ જિલ્લાના વાસદ નજીક અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી,જેમાં પથ્થરો નીચે દબાય જવાથી ત્રણ શ્રમિકો કરુણ મોતને ભેટ્યા હતા,જયારે એક ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,આ ઘટનામાં NHSRCL દ્વારા આર્થિક સહાયની જાહેર કરવામાં આવી હતી.

આણંદ જિલ્લાના વાસદ પાસે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. આણંદનાં વાસદ પાસે શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 4 શ્રમિકો દટાયા હતા.સર્જાયેલી દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

અને પોલીસ તંત્ર સહિતનો કાફલો બચાવ કામગીરી અર્થે દોડી આવ્યો હતો.જેસીબી મશીન સહિતની મશીનરીને કામે લગાડીને પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે એકને ઈજાગ્રસ્ત કામદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

 સમગ્ર ઘટના અંગે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.અને મૃતકોના પરિવારજનોને રૂપિયા 20 લાખની સહાયતા પ્રદાન કરવાનું સોશિયલ મિડીયાના માધ્યમથી જણાવ્યું હતું.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.