Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો.150 દર્દીઓએ લીધો લાભ

અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં કેમ્પનું આયોજન, 150 જેટલા દર્દીઓએ લીધો લાભ

X

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં આવેલ કેન્સર નિદાન કેમ્પ યોજાયો જેનો કેન્સરથી પીડાતા દર્દીઓએ લાભ લીધો હતો.

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર કેર સેન્ટર ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં નિષ્ણાંત ડોકટરોએ સેવા આપી હતી.આ કેમ્પમાં કેન્સરથી પીડાતા દર્દીઓનું ચેકઅપ અને સારવાર આપવામાં આવી હતી આ કેમ્પનો 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો .કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વંદના દહીયાએ જણાવ્યું હતું કે પેશન્ટોને ખર્ચ તેમજ પોતાનો સમય બચી શકે તેમજ યોગ્ય સારવાર મળી રહે એ માટે કેન્સરનું નિદાન નું આયોજન કરવામાં આવ્યું હતું અને જરૂરી નિદાન કરવામાં આવ્યું હતું

Next Story