અંકલેશ્વર: સારંગપુર નજીક બે અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

New Update
અંકલેશ્વર: સારંગપુર નજીક બે અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વરના સારંગપુર નજીક શોપિંગ સેન્ટરમાં બે અલગ અલગ દુકાનોમાંથી પોલીસે ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનાકર્મીઓ પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે સારંગપૂર નજીક રેલ્વે ફાટક પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસરર ગેસ રીફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે જેના આધારે પોલીસે દરોડા પાડતા બે દુકાનોમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું.

પોલીસે દઢાલ ગામમાં રહેતા કાશીફ અન્સારી અને મીરાનગરમાં રહેતા રામ નિવાસ યાદવની ધરપકડ કરી હતી અને બન્ને દુકાનોમાંથી ગેસ સિલિન્ડર તેમજ ગેસ રીફિલ કરવાના સાધનો મળી રૂપિયા 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ મોટા ગેસ સિલિન્ડરમાંથી નાના ગેસ સિલિન્ડરમાં બેદરકારી પૂર્વક ગેસ રીફિલ કરતાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.