Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : 31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરી દેનારાઓની પેનલ્ટી થશે માફ

રાજયની નગરપાલિકાઓમાં બાકી પડતા વેરાની વસુલાત માટે પાલિકાને નવનેજા પાણી આવી જાય છે ત્યારે બાકી વેરાની વસુલાત માટે સરકાર હવે નવી યોજના લઇને આવી છે.

X

રાજયની નગરપાલિકાઓમાં બાકી પડતા વેરાની વસુલાત માટે પાલિકાને નવનેજા પાણી આવી જાય છે ત્યારે બાકી વેરાની વસુલાત માટે સરકાર હવે નવી યોજના લઇને આવી છે. નવી યોજના અંગે અંકલેશ્વર પાલિકાની ખાસ સામાન્યસભા મળી હતી.https://youtu.be/VUV5Lvcmn3o

અંકલેશ્વરમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર બાબતે ખાસ સામાન્યસભા બોલાવવામાં આવી હતી. તારીખ 31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ,પેનલ્ટી અને વોરન્ટ ફી માં 100 % રકમ માફ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23 માં 31 મી મે 2022 સુધી એડવાન્સ ટેક્સ ભરપાઈ પર 10 % વળતર મળશે. મિલકત ધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોવાના કારણે બાકી કરવેરાની વસુલાત મોટા પ્રમાણમાં બાકી રહેતી હોય છે. પાલિકાની આવકમાં વધારો થાય તે માટે આ નવી પ્રોત્સાહક યોજના અમલમાં મુકવામાં આવી છે. પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં યોજનાના અમલીકરણને બહાલી આપી દેવાય છે.

Next Story