અરવલ્લી : શાકભાજીના ભાવ ગગડતા ધરતીપુત્રોને આર્થિક ફટકો,કોડીના ભાવે ટામેટા વેચવા બન્યા મજબૂર

અરવલ્લી જિલ્લામાં શાકભાજીના ગગડતા ભાવે ખેડૂતો માટે આર્થિક નુકસાની સહન કરવી પડી છે.જેમાં ખાસ કરીને ટામેટાની ખેતી કરતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

New Update
  • ખેડૂતોના હાલ થયા બેહાલ

  • ઠંડીની મોસમમાં ટામેટાના ભાવ ગગડ્યા

  • ટામેટાનું મબલખ ઉત્પાદન પરંતુ ભાવ ન મળ્યા

  • કોડીના ભાવે ટામેટા વેચતા ખેડૂતો  

  • ઢોરને ચારામાં ખેડૂતો આપી રહ્યા છે ટામેટા

Advertisment

અરવલ્લી જિલ્લામાં શાકભાજીના ગગડતા ભાવે ખેડૂતો માટે આર્થિક નુકસાની સહન કરવી પડી છે.જેમાં ખાસ કરીને ટામેટાની ખેતી કરતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. અને ખેડૂતો ટામેટાની ખેતી બંધ કરવા મજબૂર બનીને કોડીના ભાવે ટામેટા વેચી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં આશરે 1000 થી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવે છે,પરંતુ બજારમાં ભાવ ન મળતા ટામેટાની ખેતી કરતા ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.જેના કારણે ખેડૂતો કોડીના ભાવે ટામેટા વેચવા મજબૂર બન્યા છે.શાકભાજીના બજારમાં ટામેટા રૂપિયા 20 કિલો સુધી વેચાય છે.જ્યારે ખેડૂતો ફક્ત રૂપિયા 2 કિલોના ભાવથી વેચવા મજબૂર બન્યા છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસા અને ધનસુરા તાલુકામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને એક વીઘામાં 25000 થી વધુનો ખર્ચ થાય છે,પરંતુ ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળતા બજારમાં ટામેટા વેચવાની જગ્યાએ ગાય અને ભેંસને ચારા રૂપે ટામેટા ખવડાવવા પણ મજબૂર થયા છે.

 

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment