Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : કાંકરેજના થરામાં જલારામ મંદિરમાં 8-10 તસ્કરો ત્રાટક્યા, બે ચોકીદારોમાં જીવલેણ હુમલો

જલારામ મંદિરમાં 8 થી 10 તસ્કરો ઘૂસી આવી દાનપેટીમાં રહેલ રોકડ રકમ સહિત જલારામ બાપાની 1 કિલોની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

X

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનાં થરા ગામના જલારામ મંદિરમાં 8 થી 10 તસ્કરો ઘૂસી આવી દાનપેટીમાં રહેલ રોકડ રકમ સહિત જલારામ બાપાની 1 કિલોની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

બનાસકાંઠામાં હવે કોઈ પણ કાયદા અને વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો નથી ત્યારે બનાસકાંઠાના કાંકરેજના થરા ગામમાં આવેલ જલારામ બાપાના મંદિરમાં એક સાથે 8 થી 10 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. જલારામ મંદિરની અંદર તસ્કરો ઘૂસી જઇ તાળા તોડી જલારામ બાપાની પંચધાતુની એક કિલોની મૂર્તિ અને દાન પેટીમાં રહેલી રોકડ રકમ લઇ થયાં ફરાર થયા હતા. બનાવ દરમિયાન મંદિર પરિસરની દેખરેખ રાખનાર બે જેટલા ચોકીદારો પર તસ્કરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમ એક ચોકીદારના માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચી હતી.જેથી તેમણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તસ્કરોએ બંને ચોકીદારોના મોબાઈલ ફોન પણ ચોરી લીધા હતા. ત્યારે સ્થાનિક પોલીસને આ મામલે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

Next Story