બનાસકાંઠા : સરહદી સીમા સુરક્ષામાં કરાયો વધારો,122 ગામ સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરાયા

 બનાસકાંઠા જિલ્લામાં સરહદી સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.સરહદી વાવ-સુઈગામ તાલુકાના 122 ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે.

New Update
  • બનાસકાંઠામાં સરહદી સુરક્ષામાં વધારો

  • ભારત પાકિસ્તાન સરહદનાં ગામની સુરક્ષામાં વધારો

  • 122 ગામ સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ

  • સ્થાનિક લોકોને વિશેષ ટ્રેનિંગ પણ અપાઈ

  • સાયરન ત્રણ કિ.મી કરતા વધુની ધરાવે છે રેન્જ 

 બનાસકાંઠા જિલ્લામાં સરહદી સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.સરહદી વાવ-સુઈગામ તાલુકાના 122 ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છેજેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું કેતાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈને વાવ અને સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી હતી. આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે.

સુઈગામના પ્રાંત અધિકારી ડો.અરવિંદકુમાર પ્રજાપતિએ જણાવ્યું કેસરહદી વિસ્તારમાં સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામોમાં સાયરન સિસ્ટમ લગાવવામાં આવતા હવે નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરી શકાય છે. સાયરન માટે મોકડ્રીલ અને તાલીમનું પણ આયોજન કરાયું હતું. તત્કાલિક નાગરિક પ્રતિભાવ માટે સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. સરહદી વિસ્તારના લોકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેલ ટ્રેઈન બન્યા છે.

 

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.