બનાસકાંઠા : કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે તંત્રને આવેદન, MLA જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગે અપાયેલ વિવાદાસ્પદ નિવેદન મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

New Update
  • પાલનપુરની કર્ણાવત કોલેજમાં વિવાદમાં આવી

  • કેટલીક શિક્ષિકાઓએ વિધર્મ અંગે આપ્યું નિવેદન

  • વિવાદાસ્પદ નિવેદન મામલે મુસ્લિમ સમાજમાં રોષ

  • કોંગ્રેસલઘુમતી સેલદ્વારા તંત્રને આવેદન પત્ર અપાયું

  • વડગામમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી રહ્યા ઉપસ્થિત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગે અપાયેલ વિવાદાસ્પદ નિવેદન મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસલઘુમતી સેલદ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમ દરમ્યાન કેટલીક શિક્ષિકાઓએ વિધર્મી અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતાત્યારે વિધર્મી વિષય પર અપાયેલ વિવાદાસ્પદ નિવેદનથી મુસ્લિમ સમાજની લાગણી દુભાય હોવાનો કોંગ્રેસલઘુમતી સેલદ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.જોકે, આ મામલે પૂર્વ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ ગુનો દાખલ ન કરાતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ અંગે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસલઘુમતી સેલદ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તાત્કાલિક ગુનો દાખલ કરી વિવાદાસ્પદ નિવેદન આપનારની ધરપકડ કરવા રજૂઆત કરાય હતી.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.