બનાસકાંઠા : કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે તંત્રને આવેદન, MLA જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગે અપાયેલ વિવાદાસ્પદ નિવેદન મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

New Update
  • પાલનપુરની કર્ણાવત કોલેજમાં વિવાદમાં આવી

  • કેટલીક શિક્ષિકાઓએ વિધર્મ અંગે આપ્યું નિવેદન

  • વિવાદાસ્પદ નિવેદન મામલે મુસ્લિમ સમાજમાં રોષ

  • કોંગ્રેસલઘુમતી સેલદ્વારા તંત્રને આવેદન પત્ર અપાયું

  • વડગામમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી રહ્યા ઉપસ્થિત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગે અપાયેલ વિવાદાસ્પદ નિવેદન મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસલઘુમતી સેલદ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમ દરમ્યાન કેટલીક શિક્ષિકાઓએ વિધર્મી અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતાત્યારે વિધર્મી વિષય પર અપાયેલ વિવાદાસ્પદ નિવેદનથી મુસ્લિમ સમાજની લાગણી દુભાય હોવાનો કોંગ્રેસલઘુમતી સેલદ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.જોકે, આ મામલે પૂર્વ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ ગુનો દાખલ ન કરાતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ અંગે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસલઘુમતી સેલદ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તાત્કાલિક ગુનો દાખલ કરી વિવાદાસ્પદ નિવેદન આપનારની ધરપકડ કરવા રજૂઆત કરાય હતી.

Read the Next Article

ISRO દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન

New Update
isro

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે.

આ માહિતી ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેનો અંદાજિત ખર્ચ 10,000 કરોડ રૂપિયા હશે. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ નવું સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે. અહીંથી ISRO તેના PSLV અને SALV રોકેટ લોન્ચ કરશે.

તેનું સ્થાન ખૂબ જ વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે ભૂમધ્ય રેખાની નજીક ગુજરાતની સ્થિતિ અવકાશ મિશન માટે મોટો ફાયદો આપે છે.

ગુજરાતની પોતાની 'સ્પેસ મિશન પોલિસી'

જેમ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે સ્પેસ નીતિ લાગુ કરી છે. ગુજરાત સરકારે પણ નવી 'સ્પેસ મિશન પોલિસી' શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યને સ્પેસ ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે. આ નીતિ ફક્ત ISRO ને જ મદદ કરશે નહીં, પરંતુ યુવાનોને પણ નવી તકો મળશે.

ISRO ના આગામી મોટા લક્ષ્યો

નીલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ISRO હવે તેના 70 ટકા મિશન કમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ સિસ્ટમ્સ પર કેન્દ્રિત કરી રહ્યું છે. આ ઉપરાંત ISRO આગામી ત્રણ મોટા પ્રોજેક્ટ્સ ચંદ્રયાન-5 મિશન, ગગનયાન મિશન** (જેમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે) અને શુક્ર ઓર્બિટર મિશન પર પણ નજર રાખી રહ્યું છે. આ બધાને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.