બનાસકાંઠા:કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો કલેકટર કચેરીને તાળા બંધીનો પ્રયાસ,પોલીસે કરી અટકાયત

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પુનઃ શરૂ કરવાની માંગ સાથે પાલનપુરમાં કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. કલેકટર કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી

New Update
  • કલેકટર કચેરીને તાળા બંધીનો પ્રયાસ

  • કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

  • પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સ્કોલરશીપ શરૂ કરવાની માંગ

  • કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયુ ઘર્ષણ

  • પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને કરી અટકાયત 

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોંગ્રેસ અને NSUIના કાર્યકરો દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.અને કલેક્ટર કચેરીને તાળા બંધીની ચીમકી ઉચ્ચારીને ઘેરાવો કર્યો હતો.આ ઘટના દરમિયાન પોલીસે કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી.

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પુનઃ શરૂ કરવાની માંગ સાથે પાલનપુરમાં કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. કલેકટર કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી ઘેરાવો કરતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કોંગ્રેસ અને NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી રેલી યોજી કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા જતા પોલીસે અટકાયત કરી હતી.

પોલીસના વાહનો ઓછા અને કાર્યકરો વધુ હોવાથી કાર્યકરોને ઘેટા-બકરાની જેમ પોલીસ વાનમાં ભર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા,ધારાસભ્ય કાંતિ ખરાડી,NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.