-
પૂર્વ CM શંકરસિંહ વાઘેલા રાજકીય ક્ષેત્રે થયા સક્રિય
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાની તૈયારી
-
પાલનપુરમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની બેઠક યોજાઈ
-
બેઠક્માં હોદ્દેદારોની કરાઈ વરણી
-
ગુજરાતમાં દારૂબંધી મુદ્દે શંકરસિંહનું વિવાદાસ્પદ નિવેદન
બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ રાજકીયક્ષેત્રે પોતાની સક્રિયતાના દર્શન કરાવ્યા હતા.અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એક બેઠક આયોજિત કરી હતી,જેમાં તેઓએ દારૂ બાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકમાં છે અને તેની પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમની નવીન પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને સક્રિય કરવાનું કામ શરૂ કર્યું છે.ત્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્રિપાખીઓ જંગ દેખાય તો નવાઈ નહીં.શંકરસિંહ વાઘેલાએ પાલનપુરની ખાનગી હોટલ ખાતેની ડેમોક્રેટિક પાર્ટીની બેઠક યોજી હતી અને ત્યાં તેમની પાર્ટીના ગુજરાત અધ્યક્ષ રિદ્ધિરાજસિંહની ઉપસ્થિતમાં બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે લાખણીના દોલાભાઈ ખાગડાની વરણી કરી હતી.
આ કાર્યક્રમમાં વિવાદિત નિવેદન કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ અને એનું કારણ એ છે કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓ નહીં મળતી હોય ત્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં દારૂબંધી નથી,ગુજરાતના નજીકના રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે એટલે ગુજરાતમાં દારૂબંધી જેવું કશું જ નથી. ગુજરાતમાં દરેક ખૂણામાં આસાનીથી દારૂ મળી રહ્યો છે.લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે.
લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા તેની જગ્યાએ ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે.ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટી વાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ.દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ.ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ.