બનાસકાંઠા : રાણકપુર હાઇવે પર મોતનું "માતમ", ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત...
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બનાસકાંઠા જિલ્લાના રાણકપુર નજીક બન્યો છે,
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બનાસકાંઠા જિલ્લાના રાણકપુર નજીક બન્યો છે, જ્યાં ટ્રેલર અને કાર વચ્ચે કાળમુખા અકસ્માતમાં 4 લોકોના મોત નિપજતા હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર અને કાર વચ્ચે થયેલી જબરદસ્ત ટક્કરમાં કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. આ ગોઝારા અકસ્માતના પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર ચારેય લોકો ઉણ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે અકસ્માત કેવી રીતે થયો, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.