ગુજરાતમાં ટ્રાફિક નિયમો તોડતા પહેલા સાવધાન! સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચલાવવા પોલીસને આદેશ કરાયો...

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને નિયમોનું પાલન કરાવવા માટે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવની સૂચના આપવામાં આવી છે.

New Update

વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું કરવું પડશે પાલન

ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો છે તો હવે ખેર નથી  

વાહન વ્યવહાર કમિશનર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ માટે સૂચના અપાઈ 

ટ્રાફિક પોલીસ કરશે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ

વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનું કરવું પડશે પાલન  

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમન અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને નિયમોનું પાલન કરાવવા માટે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવની સૂચના આપવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં જ હેલ્મેટ વગર ટુ વ્હીલર વાહન હંકારતા વાહન ચાલકો સામે ટીપણી કરી હતી.અને ત્યારબાદ પોલીસને આદેશ કરવામાં આવ્યો હતો કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી હતી.જેના ભાગરૂપે ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે,જેમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ કરવા માટે જણાવવામાં આવ્યું છે.ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ તેમજ ફોર વ્હીલર વાહન ચાલકોને સીટ બેલ્ટના નિયમનું  ચુસ્ત પણે પાલન કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.અને આ અંગે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ કરવા માટે પોલીસને સૂચન કરવામાં આવ્યું છે.
Read the Next Article

વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ

ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

New Update
  • પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

  • ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી

  • ડેમ બનવાથી આદિવાસી વિસ્તારો થશે ખાલી 

  • રાજ્યભરમાંથી આદિવાસી સમાજના યુવાનો જોડાયા

  • MLA અનંત પટેલઅમિત ચાવડા પણ રેલીમાં જોડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલકોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પારતાપી અને નર્મદાએ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ચિકાર ડેમ બનવાનો છેજેમાં 12 ગામ જશે. વઘઇ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કેપાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનોDPR રજૂ થયો છેએટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.