ભરૂચ : અંકલેશ્વર સ્થિત રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે કરાયું વૃક્ષારોપણ

અંકલેશ્વર અને અંકલેશ્વર નગર પાલિકાના સહયોગથી રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : અંકલેશ્વર સ્થિત રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે કરાયું વૃક્ષારોપણ

ભરૂચના અંકલેશ્વરમાં પેરેડાઈઝ ઈન્ડિયા, અંકલેશ્વર અને અંકલેશ્વર નગર પાલિકાના સહયોગથી રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજરોજ પેરેડાઈઝ ઈન્ડિયા, અંકલેશ્વર અને અંકલેશ્વર નગર પાલિકાના સહયોગથી રામકુંડ સ્મશાન અને ઢેડિયા ખાડા બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં પેરાડાઈઝ ઇન્ડિયાના અમિત રાણા, અક્ષેશ પટેલ, હિરેન પ્રજાપતિ, અર્જુનભાઈ તેમજ અંક્લેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર અને ગાર્ડન ઇન્ચાર્જ રઘુવીરસિંહ મહિડાના હસ્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વિસ્તારમાં ઘણું દુર્લભ જોવા મળતું "કૈલાશપતિ" વૃક્ષનું પણ રામકુંડ સ્મશાન ખાતે રોપાણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના રઘુવીરસિંહ મહિડા દ્વારા પેરેડાઇઝ ઇન્ડિયા (NGO)ના તમામ સભ્યોનો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કૈલાસપતિ વૃક્ષની દુર્લભતા વિશે જાનવ્યું હતું. NGOના એન્વાયરમેન્ટ એંજીનિયર અમિત રાણાએ જાનવ્યું હતું કે, "ઘણા જુજ માત્રામાં આ વૃક્ષ અંકલેશ્વરમાં જોવા મળે છે તેમજ વધતાં જતાં પ્રદૂષણને કારણે શહેરમાં આવા દુર્લભ વૃક્ષો ઘણા મહત્વના છે. તે માટે સંસ્થા આવા છોડ ઉગાડી તેની રોપણી કરી રહી છે."

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.