તાપી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

તાપી જિલ્લાના ઉકાઈ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ બેઠકનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો કૃષિ પરિસંવાદ

  • મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત

  • રાજ્યપાલે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

  • કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે આપ્યું માર્ગદર્શન

  • ખેતી ક્ષેત્રે પ્રગતિ કરતા ખેડૂતોનું કરાયું સન્માન  

તાપી જિલ્લાના ઉકાઈ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ બેઠકનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લાના ખેડૂતોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે રાજ્યપાલ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો,જેમાં રાજ્યપાલ સહિત કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અને શ્રેષ્ઠ પશુપાલન કઈ રીતે કરવું અને સ્વાસ્થ્યપ્રદ અનાજ, શાકભાજી તેમજ દૂધ ઉત્પાદનની સાથે સાથે આ ક્ષેત્રે કઈ રીતે વધુ આવક મેળવી શકાય તે અંગે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા.આ સાથે ખેતી ક્ષેત્રે સારી કામગીરી કરનાર લોકો નુ રાજ્યપાલ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં વરસાદી માહોલ વચ્ચે ગેસલાઈનમાં ભંગાણ, ફાયર વિભાગ દોડી આવ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

New Update
MixCollage-26-Jun-2025-08-06-PM-7022

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં  આવેલ કોહીઝોન લાઈફ સાયન્સ કંપની પાસે વરસાદી માહોલ વચ્ચે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસની કંપનીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.ગેસ લીકેજ અંગે કંપનીના અધિકારીઓએ ગુજરાત ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.