ભરૂચ:પતિએ આડા સંબંધના વહેમમાં પત્નીનાં પ્રેમીની છરીનાં ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

દેરોલ ગામની સીમમાં યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળવાનો મામલો, છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની કરાય હત્યા.

ભરૂચ:પતિએ આડા સંબંધના વહેમમાં પત્નીનાં પ્રેમીની છરીનાં ઘા ઝીંકી કરી કરપીણ હત્યા
New Update

ભરૂચના દેરોલ ગામની સીમમાંથી યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિએ આડા સંબંધના વહેમમાં પત્નીના પ્રેમીની છરીનાં ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચમાં એક જ દિવસે હત્યાના બે બનાવો સામે આવ્યા હતા જેમાં વાગરાના ભેરસમ ગામ અંજીક યુવાનની થયેલ હત્યાના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી નાંણાની લેવડ દેવડ બાબતે મિત્રએ સાળની મદદથી મિત્રની જ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ જ રાત્રિએ ભરૂચના દેરોલ ગામની સીમમાંથી પણ એક યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાયા બાદ પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન વાગરાનો સંદીપ વાળંદ હોવાનું બહાર આવ્યું હતું આ બાદ પોલીસે સઘન તપાસ કરી હતી અને આ મામલામાં વલસાડ પોલીસની મદદથી ભરૂચના સોનતલાવડી વિસ્તારમાં રહેતા શશિકાંત વસાવા નામના આરોપીની ધરપકડ કરી હતી.ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં ચોંકાવારો ખુલાસો થયો હતો.

આરોપી શશિકાંત વસાવાની પત્નીના મૃતક સંદીપ વાળંદ સાથે આડા સંબંધના વહેમમાં હત્યાના ગુનાને અંજામ અપાયો હોવાનું બહાર આવ્યું હતું. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આરોપી શશિકાંત વસાવાએ તેની પત્નીનાં કથિત પ્રેમી સંદીપ વાળંદને દેરોલ ગામ નજીક આવેલ સિકોતર માતાના મંદિરે વાત કરવાના બહાને બોલાવ્યો હતો અને તેની છરીનાં ઉપરાછાપરિ ઘા મારી હત્યા કરી દીધી હતી. હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ તે દમણ ફરાર થઈ ગયો હતો જો કે ભરૂચ પોલીસે તેની ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Bharuch #Connect Gujarat #murder #Murder News #Bharuch Murder News #Beyond Just News #Derol
Here are a few more articles:
Read the Next Article