ભરૂચ: ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા બાપુને શ્રધ્ધાસુમન કરાયા અર્પણ
આજરોજ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરવાં આવ્યા હતા.
BY Connect Gujarat Desk30 Jan 2023 8:08 AM GMT
X
Connect Gujarat Desk30 Jan 2023 8:08 AM GMT
આજરોજ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરવાં આવ્યા હતા. મહાત્મા ગાંધીજીની 30 જાન્યુઆરી 1948ના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.30 જાન્યુઆરી 1948ના રોજ તે સાંધ્ય પ્રાર્થના માટે જઈ રહ્યા ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી
તેઓના 75માં નિર્વાણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રધાંજલિ અર્પણ કરી તેમના વિચારોનું સ્મરણ કરવામાં આવ્યું હતું.આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મર્હૂમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,આગેવાન સમસાદઅલી સૈયદ,સુલેમાન પટેલ, સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા
Next Story