શુક્રવાર બન્યો કાળમુખો, ભરૂચમાં જુદા જુદા માર્ગ અકસ્માતમાં 4 કમભાગીઓના નિપજ્યા મોત

ભરૂચ જીલ્લામાં આજે શુક્રવાર કાળમુખો સાબિત થયો છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પુરઝડપે દોડતી કાર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવાર 3 યુવાનોના મોત નિપજ્યા હતા, 

New Update
  • ભરૂચમાં શુક્રવાર બન્યો કાળમુખો

  • સર્જાયા જુદા જુદા બે માર્ગ અકસ્માત

  • મહિલા સહિત ચાર કમભાગીઓએગુમાવ્યાજીવ

  • શેરાગામ પાસે કાર ઝાડ સાથે ભટકાતાત્રણ મિત્રો મોતને ભેટ્યા

  • મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર કાર ટ્રકમાં ભટકતામહિલાનું મોત

ભરૂચ જીલ્લામાં આજે શુક્રવાર કાળમુખો સાબિત થયો છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પુરઝડપે દોડતી કાર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવાર 3 યુવાનોના મોત નિપજ્યા હતા,જ્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ટ્રક પાછળ કાર ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પુરઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અને કારમાં સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું.આમ અકસ્માતની આ ઘટનામાં કુલ ત્રણ લોકોના નિપજ્યા હતા.ભાવનગરના ભરતનગરમાં આવેલા અર્બન સોસાયટીમાં રહેતા20 વર્ષીય મહાવીર અગ્રવાત તેમના બે મિત્રો20 વર્ષીય મિતેષ ચાવડા અને26 વર્ષીય ચેતન ભટ્ટી સાથે સુરત ગયા હતા. સુરતથી પરત ભાવનગર જતી વખતે હાંસોટના શેરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહાવીર અગ્રવાતની સગાઈ હોય તેઓ સુરત મિત્રો સાથે આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

જ્યારે અન્ય એક અકસ્માતનો બનાવદિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો હતો.ભાવનગરથી વાપી જતા પરિવારની કારને એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક અકસ્માત નડયો હતો. આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાઇ હતી.જેમાં ગંભીર ઈજાના પગલે કારમાં સવાર હંસાબહેન પટેલ નામના મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતું.જ્યારે હિનાબહેનપટેલ,શિવ પુજારી,હરેશ પટેલ અને ચિરાગ પટેલને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.