અંકલેશ્વર ગડખોલની 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોનેહાલાકી

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

author-image
By Connect Gujarat Desk
New Update

અંકલેશ્વરના ગડખોલનો બનાવ

સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળ્યું

નહેર ઓવરફ્લો થતા સોસાયટીઓમાં પાણી ભરાયું

અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા

નહેર છીછરી હોવાથી સર્જાય સમસ્યા

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીની પાછળ આવેલ પાંચ સોસાયટીઓમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા.આ સોસાયટીઓ નજીકથી પસાર થતી નહેર ઓવરફ્લો થતાં તેનું પાણી આ સોસાયટીઓમાં ફરી વળ્યું હતું જેના કારણે સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલ યુક્ત પાણી તેમની સોસાયટીમાં ફરી વળ્યું છે તેનાથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલી છે પાણી ભરાવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમયાનું નિરાકરણ લાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટના જણાવ્યા અનુસાર નહેર છીછરી હોવા સાથે તેની સાફ-સફાઈ કરવામાં આવી ન હતી જેના કારણે આ સમસ્યા સર્જાય છે અને ત્યારે આવનારા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.