અંકલેશ્વર- ભરૂચને જોડતા માર્ગ પર એક પછી એક 7 કાર ભટકાય, જુઓ અકસ્માતના દ્રશ્યો

અકસ્માતમાં કારમાં સવારે એકથી બે લોકોને ઈજા પહોંચી હતી.તો બેથી ત્રણ કારમાં નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું

New Update
Accident road
અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર હાલ માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી છે ત્યારે આરએમપીએસ સ્કૂલ નજીક એક પાછળ એક 7 કાર ભટકાઈ હતી. જેના પગલે અકસ્માત સર્જાયો હતો.
Advertisment
આ અકસ્માતમાં કારમાં સવારે એકથી બે લોકોને ઈજા પહોંચી હતી.તો બેથી ત્રણ કારમાં નુકસાન થયું હતું.અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.
Advertisment
Latest Stories