New Update
/connect-gujarat/media/media_files/2025/05/10/uKbYG19sr9TGdAz3gGaD.jpg)
અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર હાલ માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી છે ત્યારે આરએમપીએસ સ્કૂલ નજીક એક પાછળ એક 7 કાર ભટકાઈ હતી. જેના પગલે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવારે એકથી બે લોકોને ઈજા પહોંચી હતી.તો બેથી ત્રણ કારમાં નુકસાન થયું હતું.અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.
Latest Stories