108’નો એક્શન પ્લાન : ભરૂચમાં મકરસંક્રાંતિ વેળા ઈમરજન્સી સેવામાં ખડેપગે રહેશે 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ...

ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉતરાયણમાં લોકો ખૂબ આનંદ કરે છે. ઉતરાણનો તહેવાર તા. 14 અને 15મી જાન્યુઆરીએ એમ 2 દિવસ ઉજવવામાં આવે છે.

New Update
  • ઉત્તરાયણના તહેવાર બને છે અકસ્માતોના બનાવ

  • 108 ઈમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન તૈયાર

  • દોરીથી ઘાયલ લોકોની કરાશે તાત્કાલિક સારવાર

  • અન્ય અકસ્માતોમાં ઇજાગ્રસ્તો માટે પણ ખડેપગે

  • 21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ સેવા આપશે

ઉત્તરાયણના તહેવાર દરમિયાન ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં દોરીથી ઘાયલ થતાં લોકોની સારવાર તેમજ અન્ય અકસ્માતોમાં ઇજાગ્રસ્તો માટે 108 ઈમરજન્સીની 21 એમ્બ્યુલન્સના 90 જેટલા કર્મચારીઓ ખડેપગે રહેશે.

ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉતરાયણમાં લોકો ખૂબ આનંદ કરે છે. ઉતરાણનો તહેવાર તા. 14 અને 15મી જાન્યુઆરીએ એમ 2 દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા 4થી 5 વર્ષમાં મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. આ ઈમરજન્સીને પહોંચી વળવા ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ 2 દિવસ અપેક્ષિત ઇમર્જન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે. પાછલા વર્ષની માહિતીના આધારે ગુજરાતમાં આ વર્ષે તા. 14મી જાન્યુઆરીના રોજ આશરે 28.96% અને તા. 15મી જાન્યુઆરીના રોજ આશરે 19.80 ટકા જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છેત્યારે સામાન્ય દિવસોમાં આશરે 3,809 જેટલા કોલ નોંધાય છે. જે તા. 14 જાન્યુઆરી એટલે કેઉત્તરાયણના દિવસે આશરે 4,912 અને તા. 15 જાન્યુઆરીના દિવસે 4,912 જેટલા કેસમાં વધારો નોંધવાની શક્યતાના હોવાના કારણે જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવાના 90 કર્મચારીઓ તહેવારના દિવસે ખડેપગે હાજર રહી ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કેઉતરાયણ સમયે સાવધાનીના ભાગરૂપે સલામત જગ્યાએથી પતંગ ઉડાવોરસ્તો ઓળંગતા કેવાહન ચલાવતા સાવચેતી રાખવુંઅગાસી કેપતંગ ઉડાડવાની જગ્યા પર ફર્સ્ટ સ્ટેટ બોક્સ સાથે રાખવની સાથે જો કોઈપણ ઈમરજન્સી જણાય તો 108 ઈમરજન્સી સેવાને ડાયલ કરી મદદ માટે બોલાવવા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.