ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા કુદરતી આફત હોય કે, ધાર્મિક પ્રસંગની ઉજવણી... હંમેશા દેશની સંસ્કૃતિને અનુરૂપ અને અન્યો માટે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા પ્રેરણારૂપ પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીની ગરિમા જળવાય એ રીતે ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે, ત્યારે હાલમાં નવ દુર્ગા મિત્ર મંડળ દ્વારા 26મા ગણેશોત્સવની ઉજવણી આગવી રીતે કરવામાં આવી રહી છે. જેમાં ગણેશ ચોથ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ શ્રીજીની આરતી કરવાનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત ભક્તિની સાથે 3 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકો માટે રમોત્સવ પણ ઉજવવામાં આવી રહ્યો છે. આ રમતોમાં ઉત્સાહભેર બાળકો ભાગ લઇ રહ્યા છે, અને પોતાની પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં લીંબુ ચમચી, લંગડી દોડ, મણકા પરોવા, સિક્કા શોધ, બોટલ બેલેન્સ, સ્લો સાઇકલ, ફેન્સી ડ્રેસ શો, ત્રિપગી દોડ, મ્યુઝિકલ ચેર, દેડકા કુદ જેવી રમતોમાં ભાગ લેતા બાળકોને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવે છે, અને બાળકો પોતાની કારકિર્દીમાં આગળ વધે તેવી ગણપતિજીને પ્રાર્થના કરવામાં આવે છે. ગણેશોત્સવ તેમજ રમોત્સવને સફળ બનાવવા માટે નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખ ભગવાન મોરડીયા, ઉપપ્રમુખ ડી.આર.પટેલ, સેક્રેટરી નવલસિંહ જાડેજા, ખજાનચી વિનય દેસાઈ, સુરેશ વૈશ્યનાની, ઉદયસિંહ નકુમ, કિશોરસિંહ વાળા, શૈલેષ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો, સભ્યો તેમજ નવ યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.