અંકલેશ્વરનાં પિરામણ ગામ પાસે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પિરામણ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન ધસમસતી દોડી રહી હતી,જોકે આ ક્ષણે એક મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી....

New Update
  • ટ્રેનની અડફેટે મહિલાનું મોત

  • પિરામણ ગામ પાસે બની ઘટના

  • રેલવે ટ્રેક પર સર્જાય ઘટના

  • અકસ્માત કે આપઘાતસર્જાયું રહસ્ય

  • પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પિરામણ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે એક મહિલા કરૂણ મોતને ભેટી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પિરામણ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન ધસમસતી દોડી રહી હતી,જોકે આ ક્ષણે એક મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી,અને ગંભીર ઈજાને પગલે મહિલાનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,ઘટનાની જાણ રેલવે પોલીસ ફોર્સને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.તેમજ આ ઘટનામાં વધુ તપાસ શરૂ કરી હતી.આ ઘટના અકસ્માત છે કે આપઘાત તે અંગેનું રહસ્ય સર્જાયું હતું.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.