અંકલેશ્વર: ટ્રેનમાંથી લેપટોપની ચોરી કરી બસ સ્ટેન્ડમાં ફરતા ઇસમની  પોલીસે કરી ધરપકડ

ભરૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જી.આઈ.ડી.સી. બસ ડેપોમાંથી વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમને પકડી તેની પાસે રહેલ લેપટોપ,ચાર્જર અને માઉસ મળી આવ્યું હતું જે અંગે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે સાણંદના ઓનેસ્ટ હોટેલની પાછળ સ્વામિનારયણ રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્ટાર લાઇટ સોસાયટીમાં રહેતો પ્રણવ  ઉપાધ્યાયની ધરપકડ કરી 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ વડોદરા નજીક ટ્રેનમાંથી લેપટોપની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ, સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ પહોંચી ન શક્યું

સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..

New Update
  • અંકલેશ્વરના ગડખોલ વિસ્તારનો બનાવ

  • સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ

  • શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી

  • શાળા છૂટયા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી

  • સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ ન પહોંચી શક્યું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર  વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. તો આ તરફ શાળામાં રહેલ ફાયર ઇન્સ્ટિગયૂટર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી કહી શકાય.