ભરૂચ : ભોલાવ ડેપો પર એસટી બસમાં ડીઝલ ભરાવવામાં કલાકો સુધીનો વિલંબ થતાં અટવાયેલા મુસાફરોમાં રોષ...

ભરૂચ એસટી વિભાગની ભરૂચ-માંચ રુટ પર દોડતી હાઇવે લાઈનની એસટી. બસમાં દરરોજ મુસાફરી કરતાં અનેક મુસાફરોને આજે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

New Update

એસટી વિભાગના અંધેર વહીવટના કારણે લોકોને હાલાકી

ભરૂચ-માંચ રુટ પર દોડતી એસટી બસના મુસાફરો અટવાયા

ભોલાવ ડેપો પર એસટી બસમાં ડીઝલ ભરાવવામાં વિલંબ

ડીઝલ ભરવા માણસ ન આવતા મુસાફરો કલાકો અટવાયા

આવનારા સમયમાં આ સમસ્યા દૂર કરાશે : ડેપો મેનેજર

ભરૂચ એસટી વિભાગની ભરૂચ-માંચ રુટ પર દોડતી હાઇવે લાઈનની એસટી. બસમાં દરરોજ મુસાફરી કરતાં અનેક મુસાફરોને આજે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ભોલાવ ડેપો પર ડીઝલ ભરાવવા ગયેલી બસ એક કલાકથી પણ વધુ સમય બાદ નહીં આવતા અટવાયેલા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજ પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપ-ડાઉન કરતા હોય છે. જેમાં ભરૂચના માંચનબીપુરઝંગાર સહિતના ગામમાંથી રોજ 200થી વધુ વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજો અને સ્કૂલોમાં અભ્યાસ અર્થે આવતા હોય છે. જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી ભોલાવ ડેપો પહોંચવા માત્ર એક કલાકનો સમય થાય છે. પણ આ વિદ્યાર્થીઓને એસટી. વિભાગના અંધેર વહીવટના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ રૂટ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે માંચઝંગારનબીપુરથી એસટી બસ ભોલવ ખાતે આવેલા ડેપો પર પોહોંચતા એક કલાકનો સમય લાગતો હોય છેપરંતુ એસટી વિભાગની લાપરવાહીના કારણે ભોલાવ ડેપો ખાતે ડીઝલ ભરાવવામાં એક કલાકનો સમય લાગી રહ્યો છે. આ બસ માંચઝંગારનબીપુરથી પહેલા ભોલાવ ડેપો પર ડીઝલ પુરાવા માટે આવે છેજેને ડીઝલ પુરાવા માટે સવારના સમયે માણસ ન હોવાના કારણે એક કલાકથી વધુનો સમય લાગ્યો હતો. એટલું જ નહીંભોલાવ ડેપો પરથી સીટી ડેપો સુધી પહોંચવામાં એક કલાક સુધી બસ માટે રાહ જોવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મુસાફરો અને વિદ્યાર્થીઓને બસની રાહ જોવા તપસ્યા કરવા સાથે સમય પર પોતાના સ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો. આ બાબતે એસટી. વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ માંગ કરી હતીત્યારે સમગ્ર મામલે ભરૂચ વિભાગીય ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કેડેપોના ડીઝલ પંપ પર સમયસર માણસ ન પહોંચવાથી આ સમસ્યા સામે આવી છે. પરંતુ આવનાર સમયમાં આ સમસ્યાને દૂર કરી દેવામાં આવશેતેવી ડેપો મેનેજર દ્વારા એસટી. બસમાં મુસાફરી કરતાં મુસાફરોને બાહેંધરી આપવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.