અંકલેશ્વર: ગડખોલમાં 2 બાળકોની માતાએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત

અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

New Update
  • અંકલેશ્વરના ગડખોલ વિસ્તારનો બનાવ

  • પવન રેસિડેન્સીમાં બનાવ બન્યો

  • મહિલાએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત

  • મહિલાના અંતિમવાદી પગલા પાછળનું રહસ્ય અકબંધ

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં રહેતી અને બે બાળકોની માતા ૩૫ વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે સીલીંગ ફેન સાથે દુપટ્ટા વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.આ ઘટના અંગે પરિવારજનોએ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક મહિલા ભાવનાબહેન ઉમંગ તડવી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મહિલાના અંતિમવાદી પગલાં પાછળનું રહસ્ય અકબંધ છે.મહિલાએ અંતિમવાદી પગલું ભરતા 2 બાળકોએ માતાની મમતા ગુમાવી છે.