અંકલેશ્વર: શેરબજારમાં રૂ.5 લાખની ખોટ જતા 8 વર્ષના બાળકની હત્યા, CRPFના કોન્સ્ટેબલની જ પોલીસે કરી ધરપકડ

દઢાલ ગામ નજીક આવેલ ગ્રીનપાર્ક સોસાયટીના લોકો છઠ્ઠા પૂજાની ઉજવણીમાં લિન હતા ત્યારે અચાનક ૮ વર્ષીય શુભ રાજભર નામનો બાળક લાપતા બન્યો હતો.બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતા સ્થાનિકો સાથે પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી

New Update
  • અંકલેશ્વરમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો

  • 8 વર્ષના બાળકની હત્યાથી ચકચાર

  • બાળકનો મૃતદેહ લોખંડની પેટીમાંથી મળી આવ્યો

  • પાડોશમાં રહેતા CRPFના કોન્સ્ટેબલે જ કરી હત્યા

  • રૂ.5 લાખની ખંડણી માંગી હત્યા કરી હોવાનો ખુલાસો

અંકલેશ્વરમાં શેરબજારમાં થયેલ લાખોના નુકસાનને રિકવર કરવા 8 વર્ષના બાળકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.સીઆરપીએફ કોન્સ્ટેબલે પાડોશમાં જ રહેતા બાળકની હત્યા કરી નાખી ખંડણી માંગી હતી જોકે તેની હિલચાલ પરથી પોલીસને શંકા જતા તેની અટકાયત કરી પૂછપરછમાં ભાંડો ફૂટ્યો હતો.
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક આવેલ ગ્રીનપાર્ક સોસાયટીના લોકો છઠ્ઠા પૂજાની ઉજવણીમાં લિન હતા ત્યારે અચાનક ૮ વર્ષીય શુભ રાજભર નામનો બાળક લાપતા બન્યો હતો.બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતા સ્થાનિકો સાથે પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી પણ નિષ્ફ્ળતા જ હાથ લાગી હતી.
વહેલી સવારે અચાનક લાપતા બાળકના પિતા ભીસમ રાજભરના મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ  આવ્યો હતો જેમાં શુભના અપહરણ અને ૫ લાખની ખાંડણીનો ઉલ્લેખ કરાયો હતો.આ સાથે ખંડણીની રકમ ગણતરીના સમયમાં પહોંચતી કરવા ધમકી અપાતા પરિવાર ભયભીત બની ગયો હતો.
પરિવારે મેસેજની જાણ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરતા ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતા મેસેજ ભીસમ રાજભરના પાડોશના ઘરમાંથીજ થયો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન પાડોશમાં સીઆરપીએફ કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂત રહેતો હોવાનું જાણવા મળ્યું હતું જેનું પરિવાર વતન ગયું હતું જયારે શૈલેન્દ્ર ઘરે એકલો હતો.
પોલીસે દરોડો પાડતા ઘરમાં સીઆરપીએફ કંપનીની લોખંડની પેટીમાંથી અપહૃત બાળકની લાશ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પ્રાથમિક પૂછપરછમાં શૈલેન્દ્રએ ઘોંઘાટના કારણે બાળકની હત્યાનું રટણ કર્યું હતું જેણે કડકડ પૂછપરછમાં શેરબજારમાં લાખોની ખોટ ગઈ હોવાથી રિકવરી માટે અપહરણ કરી ખંડણી માંગી હોવાની કબૂલાત કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાળકને અપહરણ કરી બાંધી પેટીમાં સંતાડવાના કારણે ગૂંગળાઈ જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. 
શૈલેન્દ્ર રાજપૂત મધ્યપ્રદેશના ગ્વાલીયરમાં સી.આર.પી.એફ.માં ફરજ બજાવે છે અને ત્યાંથી રજા લઇ તે અંકલેશ્વર આવ્યો હતો.પાડોશમાં રહેતા બાળકને જોઈ તેનું અપહરણ કરી શેરબજારમાં ગયેલ ખોટને સરભર કરવા પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.આરોપીએ બાળકની હત્યા તો કરી નાંખી હતી પરંતુ પોલીસના સતત પહેરાના કારણે તે મૃતદેહનો નિકાલ કરવામાં અસમર્થ રહ્યો હતો આથી પેટીમાં જ મૃતદેહ મૂકી રાખ્યો હોવાની પણ વિગતો બહાર આવી છે. આ ઉપરાંત તેની કરતૂત અંગે કોઈને શંકા ન જાય એ માટે તે પરિવાર સાથે રહી બાળકની શોધખોળ પણ કરતો હતો જો કે આખરે તેનો ભાંડો ફૂટી જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.