અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે પ્રોહોબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦૯૨ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૧.૩૨ લાખના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ

New Update
Prohibition Crime
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ-૯-૯-૨૦૨૪ના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કાગદીવાડમાં રહેતો સુજાતખાન ઉર્ફે સજ્જુ બશીરખાન પઠાણ અને તુફેલ સલીમ મલેકએ ઉમરવાડા રોડ ઉપર નર્મદા ક્લીન ટેક કંપનીની સામે વ્હાઈટ પર્લ રેસીડેન્સીમાં બનતા નવા મકાનમાં ઉતારી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.અને મહમદ અશદ અસ્લમ શેખ તેમજ અરબાઝ અસ્લમ શેખ તે મુદ્દામાલની રખેવાળી કરી રહ્યા છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦૯૨ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૧.૩૨ લાખના મુદ્દામાલ સાથે વ્હાઈટ પર્લ રેસીડેન્સીમાં રહેતો મહમદ અશદ અસ્લમ શેખને ઝડપી પાડ્યો હતો જયારે કુખ્યાત બુટલેગર સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા તે દરમિયાન અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખને ઝડપી પાડ્યો હતો.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.