અંકલેશ્વર: ન.પા.દ્વારા વોર્ડ નંબર 4માં નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે, ખાતમુર્હુત કરાયુ

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર  કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના કાર્યો

  • વોર્ડ નંબર-4માં ડ્રેનેજ લાઇનનું થશે નિર્માણ

  • રૂ.18 લાખનો કરવામાં આવશે ખર્ચ

  • કાર્યનું ખાતમુર્હુત કરાયુ

  • ન.પા.પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર  કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે આજરોજ નગર સેવા સદનના વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના

કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. રૂપિયા 18 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઈનના ખાતમુર્હુત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત,ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે
Latest Stories