અંકલેશ્વર: રાજપીપળા રોડ અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર યુવાનનું નિપજ્યુ મોત !

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

New Update
  • અંકલેશ્વર- રાજપીપળા રોડ પર સર્જાયો અકસ્માત

  • અજાણ્યા વાહનને ટક્કર મારતા અકસ્માત

  • બાઈક સવાર આશાસ્પદ યુવાનનું મોત

  • અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ઔદ્યોગિક અકસ્માતો સાથે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ સવારના અરસામાં અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેથી એક યુવાન પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગેની જાણ મૃતક યુવાનના પરિવારજનોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.અને વલોપાત કરતા નજરે પડ્યા હતા.અકસ્માત અંગે જી.આઈ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: વાલિયાના 2 ગામોમાં સરકારી જમીન પર કરાયેલ દબાણો હટાવવામાં આવ્યા

ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

New Update
  • ભરૂચના વાલિયામાં કાર્યવાહી

  • 2 ગામોમાં સરકારી જમીન પર કરાયા હતા દબાણ

  • દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાય

  • અગાઉ પાઠવવામાં આવી હતી નોટીસ

  • અધિકારીઓ રહ્યા હાજર

ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચરણ અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા આજરોજ તલાટી,સહિતના અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માગતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી.જ્યારે ધોળગામના ત્રણ રસ્તાથી ગામના છેડા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.