-
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માત
-
બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો
-
ખાનગી લકઝરી બસ- એસ.ટી.બસ વચ્ચે અકમાત
-
16 મુસાફરોને પહોંચી ઇજા
-
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છેમઅંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ બનાવમાં 16 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. બંને બસ સુરત થી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.તો અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું.