અંકલેશ્વર: ST બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત, 16 મુસાફરોને ઇજા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર એસ.ટી. બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં લક્ઝરી બસ પલટી જતા 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માત

  • બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો

  • ખાનગી લકઝરી બસ- એસ.ટી.બસ વચ્ચે અકમાત

  • 16 મુસાફરોને પહોંચી ઇજા

  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર એસ.ટી. બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં લક્ઝરી બસ પલટી જતા 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છેમઅંકલેશ્વરની  વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા.

બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ બનાવમાં 16 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. બંને બસ સુરત થી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.તો અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.