અંકલેશ્વર: નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી !

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી કરવામાં આવી છે.આ સાથે જ બોર્ડના પ્રતિનિધિઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથો.ના ચેરમેનની વરણી

  • નવા ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી

  • બોર્ડના પ્રતિનિધિઓની પણ કરાય જાહેરાત

  • અનેક ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

  • વિવિધ કામો કરવાની નવ નિયુક્ત ચેરમેનની ખાતરી

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી કરવામાં આવી છે.આ સાથે જ બોર્ડના પ્રતિનિધિઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે
અંકલેશ્વર નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્ટનું ૨૦૨૪-૨૦૨૬ માટે નવા બોર્ડની રચના તેમજ બોર્ડના નવા ચેરમેનની વરણી કરવામાં આવી હતી.અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીની આજરોજ બેઠક મળી હતી.જેમાં સર્વાનુમતે નોટિફાઇડ એરીયા ઓથોરીટીના ચેરમેન તરીકે અમુલખ પટેલની વરણી કરવામાં આવી છે.આ ઉપરાંત બોર્ડ પ્રતિનિધિમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, સેક્રેટરી હરેશ  પટેલ,પ્રબોધ બી પટેલ, પ્રશાંત પટેલને સામેલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સરકારના પ્રતિનિધિ સાથે કુલ 8 સભ્યની પસંદગી કરવામાં આવી છે. નવ નિયુક્ત ચેરમેન તેમજ સભ્યોને ઉપસ્થિતોએ શુભકામના પાઠવી હતી.નવરચિત નોટીફાઈડ બોર્ડ દ્વારા જી.આઈ.ડી.સી ની ઔધોગિક આંતરમાળખાકીય સેવાઓને નવીનીકરણ માટે સહાય યોજના સ્કીમ પ્રોજેક્ટમાં નવી ગ્રાન્ટ મેળવવી સહિતના કાર્યો કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.