અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે આવેલ આર.કે.વકીલ હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ કલારંગ 2025 યોજાયો

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકાબહેન વૈદ્ય પ્રાયમરી સ્કૂલના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી

New Update
  • હાંસોટના ઇલાવ ગામે આવેલી છે શાળા

  • આર.કે.વકીલ હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો

  • કલારંગ 2025 વાર્ષિકોત્સવનું આયોજન

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  • બાળકોએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકાબહેન વૈદ્ય પ્રાયમરી સ્કૂલના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ તેમજ અલકાબહેન શાંતિલાલ વૈદ્ય પ્રાયમરી સ્કૂલ આવેલી છે.આ બન્ને શાળાના વાર્ષિકોત્સવ કલારંગ 2025નું શાળાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,નેરોલેક કંપનીમાં યુનિટ હેડ રાજેશ પટેલ,બિરલા સેલ્યુલોઝિક કંપનીના વાઇઝ પ્રેસિડેન્ટ જીતેન્દ્ર પટેલ,આગેવાન હર્ષદ પટેલ, જે.ડી.પટેલ, આદર્શ કેળવણી મંડળના પ્રમુખ તુષાર પટેલ, શાળાના આચાર્યો ધર્મેશ જોશી, જીગ્નેશ પટેલ અને શાળા પરિવાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જેને ઉપસ્થિતોએ માણી હતી.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.