અંકલેશ્વર: MLA ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ,ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ બાદ પોલીસની ફરજમાં રૂકાવટનો આરોપ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવવામાં આવી

New Update
  • ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક પોલીસ ફરિયાદ

  • જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

  • ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ મામલે ગુનો દાખલ કરાયો

  • પોલીસની ફરજમાં રૂકાવટનો આરોપ

  • અગાઉ રાજપારડી પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારોના મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા.જેમાં તેઓએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે.

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા.આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી.

આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. ત્યારે આ મામલે જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજપારડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો.આ સમયે તેઓએ ખોટી રીતે ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.ત્યારે હવે ફરી એકવાર ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા તેઓની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થઈ શકે છે.

આ સમગ્ર બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સ્થાનિક નેતાઓના ઇશારે તેમની સામે પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે. તાજેતરમાં દારૂના હપ્તા લેતા પોલીસ કર્મીઓના 35 વિડીયો વાયરલ કર્યા એ માટે પોલીસે ફરિયાદ નોંધી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસની ખોટી ફરિયાદથી તેઓ ડરી જવાના નથી અને આગામી સમયમાં જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.

Read the Next Article

ભરૂચ: વાગરામાં કોંગ્રેસ કાર્યાલયમાંથી સરપંચ-વોર્ડ સભ્યોના ફોર્મની ચોરી, કોંગ્રેસે ષડ્યંત્ર ગણાવ્યું

વાગરામાં કોઇએ કોંગ્રેસનો ખેલ કરી નાંખ્યો હતો. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રો કોઈ કોંગ્રેસ કાર્યાલયમાંથી ચોરી ગયું

New Update
  • ભરૂચના વાગરાનો બનાવ

  • કોંગ્રેસ કાર્યાલયમાં ચોરી

  • સરપંચ-ઉમેદવારોના ફોર્મની ચોરી

  • કોંગ્રેસના આગેવાનો થયા દોડતા

  • પોલીસને જાણ કરવામાં આવી

ભરૂચના વાગરમાં આવેલ કોંગ્રેસ કાર્યાલયમાંથી સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રોની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો
ભરૂચ જિલ્લાની  ગ્રામ પંચાયતોમાં થનારી ચૂંટણી માટે સોમવારના રોજ ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ હતો.ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે વાગરામાં કોઇએ કોંગ્રેસનો ખેલ કરી નાંખ્યો હતો. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલાં ઉમેદવારી પત્રો કોઈ કોંગ્રેસ કાર્યાલયમાંથી ચોરી ગયું હતું. વાગરા કોંગ્રેસ ઓફિસમાં રવિવારના રોજ સાયખા ગામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય ઉમેદવારો ના ફોર્મ વકીલ મારફતે ભરીને તૈયાર કરીને ટેબલના ખાનામાં મૂકીને ઓફિસ બંધ કરી જતાં રહ્યા હતાં.
સોમવારે સવારે ઓફિસ ખોલવામાં આવતાં ફોર્મ ભરેલી થેલી ગાયબ જણાય હતી. પોલીસને જાણ કરવામાં આવતાં સ્ટાફ સ્થળ પર દોડી આવ્યાં હતો. કાર્યાલયના સીસીટીવી તપાસવામાં આવ્યાં હતાં પણ કોઈ સફળતા મળી ન હતી.કોંગ્રેસ પ્રેરિત સરપંચ તેમજ સભ્ય ઉમેદવારને સાયખા ગામથી બોલાવી તાત્કાલિક વકીલ મારફતે નવા ઉમેદવારી પત્રો ભરાવવામાં આવ્યાં હતાં. કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ સુલેમાન પટેલ તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ અને ચોરી બાબતે વાગરા પોલીસ ને જાણ કરવામાં આવી હતી.