અંકલેશ્વર: MLA ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ,ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ બાદ પોલીસની ફરજમાં રૂકાવટનો આરોપ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવવામાં આવી

New Update
  • ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક પોલીસ ફરિયાદ

  • જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

  • ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ મામલે ગુનો દાખલ કરાયો

  • પોલીસની ફરજમાં રૂકાવટનો આરોપ

  • અગાઉ રાજપારડી પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ

Advertisment

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારોના મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા.જેમાં તેઓએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે.

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા.આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી.

આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. ત્યારે આ મામલે જીઆઇડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજપારડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો.આ સમયે તેઓએ ખોટી રીતે ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.ત્યારે હવે ફરી એકવાર ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા તેઓની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થઈ શકે છે.

આ સમગ્ર બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સ્થાનિક નેતાઓના ઇશારે તેમની સામે પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે. તાજેતરમાં દારૂના હપ્તા લેતા પોલીસ કર્મીઓના 35 વિડીયો વાયરલ કર્યા એ માટે પોલીસે ફરિયાદ નોંધી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસની ખોટી ફરિયાદથી તેઓ ડરી જવાના નથી અને આગામી સમયમાં જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

New Update
bharuch Cyclone Meeting
અમદાવાદ IMD દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ભારે પવન અને અતિભારે વરસાદની પૂર્વે તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સંભવિત ડીઝાસ્ટરની પરિસ્થિતિને પહોંચી વળવા અને તેના પૂર્વે કરવાની થતી કામગીરી અન્વયે જરૂરી વ્યવસ્થાની તૈયારીઓ અને આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
Advertisment
આ બેઠકમાં લાઇઝન અધિકારી દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારી અંતર્ગત કરવાની થતી કાર્યવાહી અંગે સુચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, , વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચ્યુલી જોડાયા હતા.
Advertisment