અંકલેશ્વર: B ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.18 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

અંકલેશ્વર B ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.18 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.

New Update
MixCollage-01-Apr-2025-09-08-AM-6673

અંકલેશ્વર B ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.18 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.

Advertisment
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.2.18 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
પોલીસે અત્યાર સુધીમાં 7.98 લાખની કિંમતના 38 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે
મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે  સૌ પ્રથમ ગુગલ પરથી WWW.CEIR.GOV.IN પર જવાનું જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઇ.ડી.મળશે જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.આજ પોર્ટલ પરથી તમે  મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો
Advertisment
Advertisment
Latest Stories