-
લો વોલ્ટેજની સમસ્યાથી મુશ્કેલી
-
અંબોલી રોડની સોસાયટીઓમાં લો વોલ્ટેજની સમસ્યા
-
પાંચ મહિનાથી લો વોલ્ટેજની સર્જાઈ છે સમસ્યા
-
વીજ ઉપકરણોને નુકસાન થવાનો ભય
-
DGVCLમાં સ્થાનિક રહીશોએ કરી રજૂઆત
અંકલેશ્વર આંબોલી રોડને અડીને આવેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી લો વોલ્ટેજની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન થઇ ગયા છે,અને વીજ ઉપકરણો ખરાબ થઈ જવાનો ભય તેઓ વ્યક્ત કરી રહ્યા છે.તેમની આ સમસ્યાના નિરાકરણ માટે સોસાયટીના રહીશો દ્વારા DGVCLની ઓફિસમાં લેખિતમાં રજૂઆત કરી હતી.
અંકલેશ્વર શહેરના આંબોલી રોડને અડીને આવેલ સોસાયટી વિસ્તારોમાં છેલ્લા પાંચ મહિનાથી લો વોલ્ટેજની સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે.પાવર અપ ડાઉન થવાના કારણે રહીશોને પોતાના વીજ ઉપકરણો બગડી જવાનો ભય સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.આજરોજ આ વિસ્તારના લોકોએ ભેગા મળીને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.અને DGVCLના અધિકારીને આ અંગે રજૂઆત કરીને વહેલી તકે લો વોલ્ટેજની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ તેઓએ કરી હતી.