-
અંકલેશ્વરમાં વરસાદી માહોલ જામ્યો
-
ચોમાસાની વિધિવત શરૂઆત
-
કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા
-
વરસાદ સાથે ટ્રાફિકની સમસ્યા સર્જાય
-
મહાવીર ટર્નીંગથી વાલિયા ચોકડી સુધી સર્જાયો ટ્રાફિક
અંકલેશ્વરમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે.ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા,જ્યારે ટ્રાફિક જામથી પણ વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા.
અંકલેશ્વર પંથકમાં સોમવારની બપોરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી,ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી.વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,જેના કારણે લોકોએ બફારાથી રાહત મેળવી હતી,જોકે એક તરફ જ્યાં વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ મહાવીર ટર્નીંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી,અને વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા.
વાલિયા ચોકડી વાહનોની અવરજવરથી સતત ધમધમે છે.પરંતુ વાહન ચાલકોની વધુ પડતી ઉતાવળ અને ચોકડી પરથી વહેલા નીકળી જવાની જીદના કારણે પણ વાહનો આડા અવળા ઘુસી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાય રહ્યો હોવાનું વાહન ચાલકો કહી રહ્યા છે.અને સર્જાતો ચક્કાજામ પોલીસ માટે પણ સરદર્દ સમાન બની રહ્યો છે.