અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઈક સવાર 3 પૈકી એક વ્યક્તિનું મોત !

અકસ્માતમાં કૃષ્ણપાલસિંઘ કુસવાહાના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જ્યારે 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી

New Update
  • અંકલેશ્વર નજીક હાઇવે પર સર્જાયો અકસ્માત

  • ટ્રકે બાઇકને મારી ટક્કર

  • બાઈક સવાર 3 પૈકી એક યુવાનનું મોત

  • ઉભેલી બાઇકને ટ્રકે મારી ટક્કર

  • પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલના યુ-ટર્ન નજીક ઉભેલ બાઈકને ટ્રક ચાલકે ટક્કર મારતા ત્રણ પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગર સોસાયટીમાં રહેતા રીન્કુસિંહ મુનેન્દ્રપ્રતાપસિંહ અને તેઓના કૌટુંબિક મામા સતેન્દ્રસિંહ તેમજ ૫૫ વર્ષીય નાના કૃષ્ણપાલસિંઘ ગંગાસિંઘ કુસવાહા સાથે બાઈક લઇ અંદાડાથી ટાઈલ્સ ફીટીંગનું કામ પૂર્ણ કરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા.તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલના યુ-ટર્ન નજીક ટ્રાફિક હોવાથી તેઓ બાઈક થોભાવી ઉભેલ હતા તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે યુ-ટર્ન લેતા બાઈકને અડફેટે લીધી હતી.
આ અકસ્માતમાં કૃષ્ણપાલસિંઘ કુસવાહાના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જયારે રીન્કુસિંહ અને સતેન્દ્ર સિંહને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.