અંકલેશ્વર: ભાજપ અને વિવિધ સંગઠનો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

New Update
  • આજે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ

  • ઠેર ઠેર કરવામાં આવી ઉજવણી

  • અંકલેશ્વરમાં ઉજવણી કરાય

  • બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા

  • વિવિધ સંગઠનો જોડાયા

અંકલેશ્વરમાં દલિત સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓને યાદ કરવામાં આવ્યા હતા.જ્યારે વિવિધ દલિત સંગઠનો દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલી યોજી હતી.અને રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના સારસા ગામમાં તંત્રએ ન કર્યું તે બાળકોએ કરી બતાવ્યું, રસ્તાના ખાડા જાતે પૂર્યા

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

New Update
  • ભરૂચના ઝગઘડિયાના સારસાનો બનાવ 

  • બાળકોએ કર્યું સરાહનીય કાર્ય

  • રસ્તા પરના ખાડા જાતે પૂર્યા

  • વાહનચાલકોને મળી રાહત

  • બાળકોની કામગીરી લોકોએ આવકારી

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 
ભરૂચના ઝઘડિયા સારસા ગામ તરફ જતાં મુખ્ય રસ્તા પર ચોમાસાની શરૂઆતથી મસમોટા ખાડા પડેલા હતા.અહીંથી પસાર થતાં વાહનો માટે સતત અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યા સામેતંત્રે ધ્યાન ન આપ્યું તો મોટાઓએ માત્ર ટીકાઓ કરી પણ ગામના નાનાં બાળકો આગળ આવ્યા હતા.  શાળા જઈ રહેલા બાળકોના અકસ્માત અટકે એ માટે તેમણે રસ્તાના ખાડા પોતે પૂર્યા હતા. રસ્તાની સફાઈ કરીને માટી અને પથ્થર નાંખી તેમણે ખાડા સમતળ કર્યા હતા. આ પ્રકારની કામગીરી દેશના ભવિષ્યના નાગરિકોની સમજદારી દર્શાવે છે પણ તંત્ર માટે સવાલ ઊભો કરે છે કે જે કામ બાળકો કરી શકે છે તે મોટું તંત્ર કેમ નહીં?