અંકલેશ્વર: ભાજપ અને વિવિધ સંગઠનો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

New Update
  • આજે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ

  • ઠેર ઠેર કરવામાં આવી ઉજવણી

  • અંકલેશ્વરમાં ઉજવણી કરાય

  • બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા

  • વિવિધ સંગઠનો જોડાયા

અંકલેશ્વરમાં દલિત સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓને યાદ કરવામાં આવ્યા હતા.જ્યારે વિવિધ દલિત સંગઠનો દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલી યોજી હતી.અને રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Read the Next Article

ભરૂચ: પ્લેનક્રેશની ઘટનામાં DNA મેચ થતા 3 પેસેન્જરોના મૃતદેહ વતન લવાયા, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

અમદાવાદમાં સર્જાયેલી પ્લેનક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નીપજ્યા હતા ત્યારે ત્રણ પૈકી 3 મૃતકોના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા

New Update
  • અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના

  • ભરૂચના 3 મૃતકોના મૃતદેહ વતન લવાયા

  • પોલીસ બંદોબસ્ત સાથે મૃતદેહ વતનમાં લાવવામાં આવ્યા

  • પરિવારજનોનું હૈયાફાટ રુદન

  • અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

અમદાવાદની પ્લેનક્રેશની  ઘટનામાં જીવ ગુમાવનાર ભરૂચના 3 પેસેન્જરોના ડી.એન.એ.મેચ થયા બાદ મૃતદેહ વતન લાવવામાં આવ્યા હતા. જ્યાં અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અમદાવાદમાં સર્જાયેલી પ્લેનક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નીપજ્યા હતા ત્યારે ત્રણ પૈકી 3 મૃતકોના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર જંબુસરના સારોદ ગામના યુવાન સોહેલ પટેલ, ભરૂચની અલમીના સોસાયટીમાં રહેતા મહિલા સાજેદા મીસ્ટર અને મુમતાઝ પાર્કમાં રહેતા અલતાફ પટેલનો મૃતદેહ પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં વતનમાં લાવવામાં આવ્યો હતો.
મૃતદેહ તેઓના ઘરે પહોંચતા જ પરિવારજનો અને સબંધીઓનું હૈયાફાટન જોવા મળ્યું હતું ત્યારબાદ બંનેની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અંતિમયાત્રામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા.કબ્રસ્તાનમાં બન્ને મૃતકોને સુપુર્ડે ખાક કરવામાં આવ્યા હતા. પ્લેનક્રેશની ઘટના બાદ મૃતદેહ પરિવારજનો સુધી પહોંચાડવામાં મદદ કરનાર તમામ લોકો અને સરકારી તંત્રનો સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.