અંકલેશ્વર: ભાજપના સ્થાપના દિવસની જવાહરબાગ ખાતે ઉજવણી, મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

New Update
  • આજે તારીખ 6 એપ્રિલ

  • ભાજપનો સ્થાપના દિવસ

  • અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

  • મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજે તારીખ છઠ્ઠી એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Advertisment
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે માત્ર બે સાંસદોથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી આજે વટવૃક્ષ બની છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે નામના મેળવી છે ત્યારે સૌના સાથ સૌના વિકાસ સૂત્રને સાર્થક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યા છે.
Advertisment
Read the Next Article

ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ

New Update
વરસાદ

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Advertisment

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, બનાસકાંઠામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.   ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ,ભરૂચમાં બે ઈંચ વરસાદ,સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.

કામરેજમાં એક ઈંચ,  ધોલેરામાં એક ઈંચ,  ઝઘડિયામાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, વાગરામાં પોણો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.  શિનોરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો તો તાલાલામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો.

Advertisment