અંકલેશ્વર: ભાજપના સ્થાપના દિવસની જવાહરબાગ ખાતે ઉજવણી, મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

New Update
  • આજે તારીખ 6 એપ્રિલ

  • ભાજપનો સ્થાપના દિવસ

  • અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

  • મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જવાહર બાગ ખાતે આવેલ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજે તારીખ છઠ્ઠી એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે માત્ર બે સાંસદોથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી આજે વટવૃક્ષ બની છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે નામના મેળવી છે ત્યારે સૌના સાથ સૌના વિકાસ સૂત્રને સાર્થક કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.