અંકલેશ્વર: ભાજપના આગેવાનો દ્વારા PM મોદીના મનકી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો !

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • નોટીફાઇડ ભાજપ દ્વારા આયોજન

  • પી.એમ.મોદીનો મનકી બાત કાર્યક્રમ સાંભળ્યો

  • જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રહ્યા ઉપસ્થિત

  • આગેવાનો કાર્યક્રમમાં જોડાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર મન કી બાર કાર્યક્રમ કરવામાં આવે છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વર નોટીફાઈડ મંડળમાં ભાજપના મંત્રી રાજેશ મોદીના નિવાસ્થાને મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, નોટિફાઇડ ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો.
Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.