New Update
-
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
-
નોટીફાઇડ ભાજપ દ્વારા આયોજન
-
પી.એમ.મોદીનો મનકી બાત કાર્યક્રમ સાંભળ્યો
-
જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રહ્યા ઉપસ્થિત
-
આગેવાનો કાર્યક્રમમાં જોડાયા
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર મન કી બાર કાર્યક્રમ કરવામાં આવે છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વર નોટીફાઈડ મંડળમાં ભાજપના મંત્રી રાજેશ મોદીના નિવાસ્થાને મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, નોટિફાઇડ ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો.