New Update
/connect-gujarat/media/media_files/2025/03/05/79Qf1jOJuuMgYm9GUvhU.png)
ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.
અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા માર્ગ પર જુના નેશનલ હાઇવે પર આર.એમ.પી.એસ. સ્કૂલ નજીકથી પસાર થતી કાર અચાનક જ પલટી ગઈ હતી. કાર પલટી બાજુમાં આવેલા વરસાદી પાણીના નિકાલની કાંસમાં ખાબકી હતી. કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જેમાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો આ દ્રશ્યો જોતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.
Latest Stories