અંકલેશ્વર: સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ધંતુરિયા ગામ નજીક કાર-છકડા વચ્ચે અકસ્માત, 8 લોકો ઇજાગ્રસ્ત

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ધંતુરિયા ગામ નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત સર્જાતા ૮ લોકોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

New Update
  • અંકલેશ્વર હાંસોટ રોડ પર સર્જાયો અકસ્માત

  • પેસેન્જર છકડો અને કાર વચ્ચે અકસ્માત

  • અકસ્માતમાં 8 લોકોને ઇજા

  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

  • ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ધંતુરિયા ગામ નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત સર્જાતા ૮ લોકોને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર સમયાંતરે અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે.સુરત તરફથી ભરૂચ બાજુ આવતા વાહનોની સંખ્યામાં સતત વધારાને પગલે અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે આજરોજ સવારના અરસામાં પેસેન્જર છકડાનો ચાલક અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી મુસાફરો લઇ પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ધંતુરિયા ગામ નજીક કાર અને પેસેન્જર છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં  ૮ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયારે અકસ્માતને પગલે તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી સુરતને જોડતા આ સ્ટેટ હાઇવે પર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે.માર્ગ સાંકડો હોવા સાથે વાહનોની વધતી સંખ્યા અકસ્માતો પાછળ જવાબદાર છે ત્યારે તંત્ર દ્વારા માર્ગ પહોળો કરવા સહિતની કામગીરી કરવામાં આવે એ જરૂરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment