અંકલેશ્વર: હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં વહે છે ઉદ્યોગોનું રસાયણયુક્ત પાણી, GPCBને કરાય રજુઆત

વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે GPCBને રજુઆત કરી

New Update
  • અંકલેશ્વર હાંસોટ પંથકમાંથી વહે છે વનખાડી

  • ખાડીમાં વહે છે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી

  • પ્રદુષિત પાણીના કારણે ખેતીના પાકને નુકશાન

  • 12 ગામના ખેડૂતો કરે છે ખાડીના પાણીનો ઉપયોગ

  • જીપીસીબીને કરવામાં આવી રજુઆત

ભરૂચના અંકલેશ્વર હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે GPCBને રજુઆત કરી પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીને અડીને પસાર થતી વનખાડી અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના અનેક ગામોમાંથી પસાર થઇ કંટીયાજાળ નજીક  દરિયામાં વિલીન થાય છે ત્યારે પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન વનખાડીમાં સુએઝના પાણી ઉપરાંત રસાયણિક પાણી ફરી વળતા હોય છે.અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની કંપનીનું રાસાયણિક કેમિકલયુક્ત પાણી ખાડીમાં ભળી જતા કઠોદરા, પારડી, કુડાદરા, રોહીદ, વાલનેર, રાયમા, માલણપોર, કાંટાસાયણ , છિલોદરા, દંતરાઈ , વાસણોલી, બાડોદરા સહિત ગામોના ખેડૂતોની લગભગ 200 એકરથી વધુ જમીનને બિનઉપજાઉ થઇ રહી છે. 
ચોમાસા દરમિયાન આ સમસ્યા સૌથી વધુ વધી જાય છે ત્યારે જીપીસીબી દ્વારા વનખાડીમાં આવતું કેમિકલયુક્ત પાણી અટકાવવામાં આવે તેવી માંગ સાથે હાંસોટ કોંગ્રેસના અગ્રણી અને ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના વિજયસિંહ પટેલ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવા માંગ કરાય છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.