અંકલેશ્વર: હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં વહે છે ઉદ્યોગોનું રસાયણયુક્ત પાણી, GPCBને કરાય રજુઆત

વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે GPCBને રજુઆત કરી

New Update
  • અંકલેશ્વર હાંસોટ પંથકમાંથી વહે છે વનખાડી

  • ખાડીમાં વહે છે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી

  • પ્રદુષિત પાણીના કારણે ખેતીના પાકને નુકશાન

  • 12 ગામના ખેડૂતો કરે છે ખાડીના પાણીનો ઉપયોગ

  • જીપીસીબીને કરવામાં આવી રજુઆત

ભરૂચના અંકલેશ્વર હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે GPCBને રજુઆત કરી પ્રશ્નના નિરાકરણની માંગ કરી છે.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીને અડીને પસાર થતી વનખાડી અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના અનેક ગામોમાંથી પસાર થઇ કંટીયાજાળ નજીક  દરિયામાં વિલીન થાય છે ત્યારે પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન વનખાડીમાં સુએઝના પાણી ઉપરાંત રસાયણિક પાણી ફરી વળતા હોય છે.અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની કંપનીનું રાસાયણિક કેમિકલયુક્ત પાણી ખાડીમાં ભળી જતા કઠોદરા, પારડી, કુડાદરા, રોહીદ, વાલનેર, રાયમા, માલણપોર, કાંટાસાયણ , છિલોદરા, દંતરાઈ , વાસણોલી, બાડોદરા સહિત ગામોના ખેડૂતોની લગભગ 200 એકરથી વધુ જમીનને બિનઉપજાઉ થઇ રહી છે. 
ચોમાસા દરમિયાન આ સમસ્યા સૌથી વધુ વધી જાય છે ત્યારે જીપીસીબી દ્વારા વનખાડીમાં આવતું કેમિકલયુક્ત પાણી અટકાવવામાં આવે તેવી માંગ સાથે હાંસોટ કોંગ્રેસના અગ્રણી અને ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના વિજયસિંહ પટેલ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવા માંગ કરાય છે.
Read the Next Article

ભરૂચ : નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાય…

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગણેશચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

New Update
National Sports Day

ભરૂચ જિલ્લામાં આગામી તા. 28થી 31 ઓગસ્ટ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તા. 28મી ઓગસ્ટના રોજ શાળા કક્ષાએ નેશનલ સ્પોર્ટ્સ ડે અંર્તગત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા તેમજ ગણેશચતુર્થી નિમિત્તે શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા યોજાશેજ્યારે તા. 29 ઓગસ્ટના રોજ લુવારા સ્થિત એમીકસ ઈન્ટનેશલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશેતો તા. 30 ઓગસ્ટના રોજ શાળાઓમાં મેદાનને અનુરૂપ પરંપરાગત વિવિધ રમતોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આ સાથે જ તા. 31 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાંસન્ડે ઓન સાઈકલ’ રેલીનું પણ વિશેષ આયોજન હાથ ધરાયું છે. વહેલી સવારે 6.30 કલાકે કલેક્ટર કચેરીના પટાંગણથી સાયક્લોથોનનો મહાનુભાવોની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મની વિસ્તૃત માહિતી આપવા હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.