અંકલેશ્વર: એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયુ

અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે  મહાત્મા ગાંધીજી જન્મ જયંતી નિમિત્તે  સ્વચ્છતા હી સેવા  અંતર્ગત સફાઈ ઝુંબેશ અને સફાઈ કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • એસ.ટી.ડેપો ખાતે આયોજન

  • ગાંધી જયંતિ નિમિત્તે યોજાયો કાર્યક્રમ

  • સફાઈ અભિયાન હાથ ધરાયુ

  • સફાઈકર્મીઓનું સન્માન કરાયુ

અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે  મહાત્મા ગાંધીજી જન્મ જયંતી નિમિત્તે  સ્વચ્છતા હી સેવા  અંતર્ગત સફાઈ ઝુંબેશ અને સફાઈ કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
આજ રોજ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે "સ્વચ્છતા હી સેવા  અંતર્ગત સ્વચ્છ ભારત દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી હતી. આ  પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ  પુષ્પા પટેલ, ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક  આર.પી.શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી અનિલ સોલંકી ,અંકલેશ્વરના ડેપો મેનેજર જગદીશ ગાવિત ઉપસ્થિત રહ્યાં હતા અને ડેપોમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. આ બાદ યોજાયેલા સન્માન સમારોહમાં ડેપોના સફાઈ કર્મચારીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા 
Latest Stories