અંકલેશ્વર: રૂ.1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ !

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સીવીક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં નિર્માણ પામ્યુ સીટી સિવિક સેન્ટર

  • રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ કરાયુ

  • CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરાયુ

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  • વિવિધ સરકારી કામો એક જ સ્થળે થઈ શકશે

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સીવીક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અટલ બિહારી વાજપાઈના જન્મદિવસની રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે  ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં 36 જેટલા સીટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર શહેરમાં રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરનું પણ સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ, નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કલોડીયા,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સીટી સિવિક સેન્ટરમાં જન્મ મરણની નોંધણી મિલકત વેરો, વ્યવસાય વેરો સહિતના કામો કરવામાં આવશે જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સીટી સિવિક સેન્ટરનુંનિર્માણ કરવામાં આવ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.