અંકલેશ્વર:નગર સેવા સદન દ્વારા મશીનના સમારકામના નામે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના કોંગ્રેસના આક્ષેપ !

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન વિવાદમાં

  • કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો આક્ષેપ

  • જેટીંગ મશીનના સમારકામના નામે ભ્રષ્ટાચારનો આક્ષેપ

  • બીલનું ચુકવણુ ન કરવા વિપક્ષની માંગ

  • બીલની 4 મહિનાથી બીલની ચુકવણી નથી થઈ: પ્રમુખ

Advertisment
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા જેટિંગ મશીનના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે મશીનના સ્મરકામનું ચુકવણું ન કરવા વિરોધ પક્ષના નેતાએ પત્ર લખ્યો છે
અંકલેશ્વર નગર સેવાસદનનો ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા નગર સેવા સદનના સત્તાધીશોને એક પત્ર પાઠવાયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે નગર સેવાસદનની માલિકીનું જેટીંગ મશીન રીપેર કરવામાં આવ્યુ હતું છતાં આજદિન સુધી વાહન બરોબર રીપેર થયુ નથી.આ વાહનને કેટલીક વાર રીપેરીંગ માટે પરત મોકલવામાં આવેલ છતા વારંવાર રીપેરીંગ માટે મોકલવું પડે છે અને હાલ પણ ત્યાંથી આવ્યા બાદ ડ્રેનેજનાં કામમાં આવતું ન હોય અને વારંવાર રીપેરીંગ કરાવવા મોકલતા હોવા છતાં પણ પરીસ્થિતિ ત્યાની ત્યાં જ હોય છે ત્યારે બિલના સમારકામ માટેની રકમ ન ચૂકવવા માંગ કરવામાં આવી છે
આ અંગે અંકલેશ્વર નગરના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે તેઓ પાસે છેલ્લા ચાર મહિનાથી બિલ આવ્યું છે પરંતુ એ બિલ પાસ કરવામાં આવ્યું નથી જ્યાં સુધી મશીન પૂર્ણતઃ રીપેર ન થઈ જાય ત્યાં સુધી બિલ ચુકવણી કરવામાં આવશે નહીં..
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment