અંકલેશ્વર: ક્રાઇમબ્રાન્ચે વાહનોથી ધમધમતા ચૌટાનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી, 2 આરોપીઓની ધરપકડ

બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૯૯ હજારનો દારૂ અને કાર મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

New Update
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

  • અંકલેશ્વરમાંથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાય

  • ચૌટાનાકા વિસ્તારમાં પોલીસનું ઓપરેશન

  • રૂ.3.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ચૌટા નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે ખેપિયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી સજોદ ગામમા રહેતો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાની  કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપી પોતાના માણસ ચિરાગ પ્રજાપતિ થકી નિકોરા ખાતે રહેતો કાલિદાસ વસાવાને ત્યાં ખાલી કરવા મોકલનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે વોચ ગોઠવી હતી. 
પોલીસે બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૯૯ હજારનો દારૂ અને કાર મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચીનાકા સ્થિત વાઘેલાવાડ ખાતે રહેતો ચિરાગ  પ્રજાપતિ અને રોહિત વસાવાને ઝડપી પાડ્યો હતો.જયારે બુટલેગર જીતેન્દ્ર  પટેલ સહીત કાલીદાસ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.