અંકલેશ્વર: ક્રાઇમબ્રાન્ચે વાહનોથી ધમધમતા ચૌટાનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી, 2 આરોપીઓની ધરપકડ

બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૯૯ હજારનો દારૂ અને કાર મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

New Update
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

  • અંકલેશ્વરમાંથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાય

  • ચૌટાનાકા વિસ્તારમાં પોલીસનું ઓપરેશન

  • રૂ.3.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ચૌટા નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે ખેપિયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી સજોદ ગામમા રહેતો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલ પોતાની  કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપી પોતાના માણસ ચિરાગ પ્રજાપતિ થકી નિકોરા ખાતે રહેતો કાલિદાસ વસાવાને ત્યાં ખાલી કરવા મોકલનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે વોચ ગોઠવી હતી. 
પોલીસે બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૪૩૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૯૯ હજારનો દારૂ અને કાર મળી કુલ ૩.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચીનાકા સ્થિત વાઘેલાવાડ ખાતે રહેતો ચિરાગ  પ્રજાપતિ અને રોહિત વસાવાને ઝડપી પાડ્યો હતો.જયારે બુટલેગર જીતેન્દ્ર  પટેલ સહીત કાલીદાસ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજન

  • પાલિકા ડિસ્પેન્સરી ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન

  • ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન 

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.