અંકલેશ્વર: સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં મગર નજરે ચઢ્યો, ગ્રામજનોમાં ફફડાટ

ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.સ્થાનિકોએ મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ  કર્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી છે

New Update
અંકલેશ્વરના  સારંગપુર ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી નદીમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વર પંથક દીપડા અને મગરોનું અભયારણ્ય હોય એમ નદી-નાળા અને તળાવોમાં મગરો જોવા મળે છે ત્યારે આજરોજ અંકલેશ્વરની સારંગપુર ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી નદીમાં મગર નજરે પડ્યો હતો.
ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.સ્થાનિકોએ મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ  કર્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે.આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરા મુકવાની કવાયત હાથ ધરવમાં આવી છે.આ અગાઉ પણ ચોમાસાના સમયમાં અમરાવતી નદીમાં વરસાદી પાણીમાં મગર ખેંચાઈ આવ્યો હતો.
Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.