અંકલેશ્વર: કડીયા કામ કરતા પિતાની પુત્રીએ B.SCમાં ગોલ્ડમેડલ હાંસલ કર્યો, માતા પણ છે શ્રમયોગી !

અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ બેચલર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે

New Update
  • અંકલેશ્વરનું ગૌરવ

  • ગડખોલની દીકરીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

  • પિતા કરે છે કડીયા કામ

  • બેચલર ઓફ સાયન્સમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો

  • ભવિષ્યમાં પી.એચ.ડી.કરવાનું સ્વપ્ન

Advertisment
અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ બેચલર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે

અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી હોતો.આ ઉક્તિને અંકલેશ્વરની એક વિદ્યાર્થીનીએ સાર્થક કરી બતાવી છે. અંકલેશ્વરના ગડખોલમાં રહેતા નિમેષ મિસ્ત્રીની પુત્રી નેહલ મિસ્ત્રીએ બેચલર ઓફ સાયન્સમાં કેમેસ્ટ્રી વિષયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. યુનિવર્સિટીના 2500 વિદ્યાર્થીઓમાંથી તેનો પ્રથમ ક્રમ આવ્યો છે. નેહલ મિસ્ત્રીના પિતા મિનેશ મિસ્ત્રી કડિયા કામ કરે છે જ્યારે તેની માતા અને દાદી પણ શ્રમયોગી છે. અત્યંત સામાન્ય પરિવારની દીકરીએ સમગ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર સહિત અંકલેશ્વરનું નામ પણ રોશન કર્યું છે.

તારીખ સાતમી એપ્રિલ 2025ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મીનલ મિસ્ત્રીને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. તેણે બેચલર ઓફ સાયન્સ કેમેસ્ટ્રીમાં 9.2 CGPA  પ્રાપ્ત કર્યા છે અને હાલ તે MSCનો અભ્યાસ કરી રહી છે.ભવિષ્યમાં નેહલ પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી પ્રોફેસર બનવા માંગે છે અને તેના જ્ઞાનનું ભાથું અન્ય વિદ્યાર્થીઓને પણ આપવા માંગે છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment