અંકલેશ્વર: કડીયા કામ કરતા પિતાની પુત્રીએ B.SCમાં ગોલ્ડમેડલ હાંસલ કર્યો, માતા પણ છે શ્રમયોગી !

અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ બેચલર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે

New Update
  • અંકલેશ્વરનું ગૌરવ

  • ગડખોલની દીકરીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

  • પિતા કરે છે કડીયા કામ

  • બેચલર ઓફ સાયન્સમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો

  • ભવિષ્યમાં પી.એચ.ડી.કરવાનું સ્વપ્ન

અંકલેશ્વરના ગડખોલમાં રહેતા અને કડિયા કામ કરતા પિતાની દીકરીએ બેચલર ઓફ સાયન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર તેમજ અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે

અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી હોતો.આ ઉક્તિને અંકલેશ્વરની એક વિદ્યાર્થીનીએ સાર્થક કરી બતાવી છે. અંકલેશ્વરના ગડખોલમાં રહેતા નિમેષ મિસ્ત્રીની પુત્રી નેહલ મિસ્ત્રીએ બેચલર ઓફ સાયન્સમાં કેમેસ્ટ્રી વિષયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. યુનિવર્સિટીના 2500 વિદ્યાર્થીઓમાંથી તેનો પ્રથમ ક્રમ આવ્યો છે. નેહલ મિસ્ત્રીના પિતા મિનેશ મિસ્ત્રી કડિયા કામ કરે છે જ્યારે તેની માતા અને દાદી પણ શ્રમયોગી છે. અત્યંત સામાન્ય પરિવારની દીકરીએ સમગ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર સહિત અંકલેશ્વરનું નામ પણ રોશન કર્યું છે.

તારીખ સાતમી એપ્રિલ 2025ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મીનલ મિસ્ત્રીને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. તેણે બેચલર ઓફ સાયન્સ કેમેસ્ટ્રીમાં 9.2 CGPA  પ્રાપ્ત કર્યા છે અને હાલ તે MSCનો અભ્યાસ કરી રહી છે.ભવિષ્યમાં નેહલ પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી પ્રોફેસર બનવા માંગે છે અને તેના જ્ઞાનનું ભાથું અન્ય વિદ્યાર્થીઓને પણ આપવા માંગે છે.

Read the Next Article

ભરૂચ : અસુરીયા પાટીયા નજીક અકસ્માત બાદ ટ્રકચાલક કેબિનમાં ફસાયો, જુઓ “LIVE” રેસક્યું

અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમે ટ્રક ચાલકનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો

New Update
  • NH-48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત

  • અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રકની કેબિનમાં ફસાયો

  • 108 ઈમરજન્સી સહિત ફાયર ફાઈટરો દોડી આવ્યા

  • ફાયર ફાઈટરોએ ટ્રકચાલકનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું

  • ભારે જહેમત બાદ ટ્રકચાલકને હેમખેમ બહાર કાઢ્યો 

ભરૂચમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત બાદ ટ્રકચાલક કેબિનમાં ફસાયો હતો. જેને ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હેમખેમ બહાર કાઢ્યો હતો.

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર અસુરીયા પાટિયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. આ અંગે જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતીજ્યાં ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

ભારે જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફઅકસ્માતના પગલે રાત્રિના સમયે નેશનલ હાઇવે નંબર 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી પોલીસ અને ફાયર ટીમ અકસ્માતગ્રસ્ત વાહનને માર્ગ પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

Read the Next Article

ભરૂચી માતાના મંદિર પાટોત્સવ નિમિત્તે  લક્ષ્મીયાગનું કરાયુ આયોજન, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા

New Update
  • ભરૂચના હાથીખાના બજારમાં આવેલું છે મંદિર

  • ભરૂચી માતાના મંદિરનો પાટોત્સવ યોજાયો

  • લક્ષ્મીયાગનું કરાયુ આયોજન

  • શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરાયુ

  • મોટી સંખ્યમાં ભાવિક ભક્તો જોડાયા

ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુપ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુપ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે ભક્તિ સભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા-અર્ચનાના કાર્યક્રમો યોજાયા હતા.સંખ્યાબંધ ભક્તોએ માતાના દર્શન કરી યાગમાં ભાગ લીધો હતો.મંદિર ટ્રસ્ટ દ્વારા યાગના લાભાર્થીઓ અને ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.