અંકલેશ્વર:NH 48 પર ટેન્કરમાંથી જ ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ

મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા હતા.તો સાથે જ ડ્રાઇવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા મૃતકનું નામ હોરીલાલ યાદવ છે

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેનો બનાવ

  • ટેન્કર ચાલકનો મૃતદેહ મળી આવ્યો

  • ટેન્કરમાંથી જ ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો

  • હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી

  • 24 કલાકથી ટેન્કર એક જ જગ્યાએ રહેતા મૃતદેહ અંગે થઈ જાણ

અંકલેશ્વરની NH 48 પર યુપીએલ-1 કંપની પાસેથી ટેન્કરમાંથી ચાલકનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાની આશંકા સાથે  તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરમાંથી ટેન્કરમાંથી જ ટેન્કર ડ્રાઇવરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વલસાડથી અંકલેશ્વર આવેલ ટેન્કરના ચાલકે અંકલેશ્વર નજીક NH 48 પર યુપીએલ-1 કંપની પાસે અંકલેશ્વરથી ભરૂચના સર્વિસ રોડ ઉપર વાહન પાર્ક કર્યું હતું.ત્યાર બાદ 24 કલાકથી ટેન્કર એક જ પરિસ્થિતિમાં રહેતા સ્થનિકોએ પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન અને ભરૂચ એલસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી.અને તપાસ કરતા ચાલકનો મૃતદેહ કેબિનમાંથી મળી આવ્યો હતો.પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી.
જેમાં મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા હતા.તો સાથે જ ડ્રાઇવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા હતા. જેમાં મૃતકનું નામ હોરીલાલ યાદવ અને તે ઉત્તરપ્રદેશ તરફનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.ત્યારે પોલીસે હત્યાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.