અંકલેશ્વર:NH 48 પર ટેન્કરમાંથી જ ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ

મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા હતા.તો સાથે જ ડ્રાઇવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા મૃતકનું નામ હોરીલાલ યાદવ છે

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેનો બનાવ

  • ટેન્કર ચાલકનો મૃતદેહ મળી આવ્યો

  • ટેન્કરમાંથી જ ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો

  • હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી

  • 24 કલાકથી ટેન્કર એક જ જગ્યાએ રહેતા મૃતદેહ અંગે થઈ જાણ

Advertisment
અંકલેશ્વરની NH 48 પર યુપીએલ-1 કંપની પાસેથી ટેન્કરમાંથી ચાલકનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાની આશંકા સાથે  તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરમાંથી ટેન્કરમાંથી જ ટેન્કર ડ્રાઇવરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વલસાડથી અંકલેશ્વર આવેલ ટેન્કરના ચાલકે અંકલેશ્વર નજીક NH 48 પર યુપીએલ-1 કંપની પાસે અંકલેશ્વરથી ભરૂચના સર્વિસ રોડ ઉપર વાહન પાર્ક કર્યું હતું.ત્યાર બાદ 24 કલાકથી ટેન્કર એક જ પરિસ્થિતિમાં રહેતા સ્થનિકોએ પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન અને ભરૂચ એલસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી.અને તપાસ કરતા ચાલકનો મૃતદેહ કેબિનમાંથી મળી આવ્યો હતો.પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી.
Advertisment
જેમાં મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા હતા.તો સાથે જ ડ્રાઇવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા હતા. જેમાં મૃતકનું નામ હોરીલાલ યાદવ અને તે ઉત્તરપ્રદેશ તરફનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.ત્યારે પોલીસે હત્યાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment